આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર અને યુ.એન.મેહતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી દ્વારા ‘હૃદયની વાત દિલથી કરીએ’ પ્રેસ કોન્ફરન્સ-2023 યોજાઈ

હિન્દ ન્યુઝ, અમદાવાદ

    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ રાજ્યના પ્રત્યેક નાગરિકના આરોગ્યની દરકાર સતત કરી રહ્યાં છે. રાજ્યમાં હ્રદયરોગ સંબંધિત પ્રવર્તમાન સ્થિતિ અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ નિષ્ણાંત કાર્ડિયોલોજીસ્ટની એક પેનલ બનાવવામાં આવી હતી. આરોગ્યમંત્રી ના માર્ગદર્શન હેઠળ આજે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર અને યુ.એન.મેહતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટર દ્વારા અમદાવાદમાં ‘હૃદયની વાત દિલથી કરીએ’ પ્રેસ કોન્ફરન્સ-2023 યોજાઈ. શહેરના પ્રખ્યાત કાર્ડિયોલોજિસ્ટ દ્વારા હૃદયને લગતા રોગ, યુવાઓમાં હૃદય રોગ સંબંધિત બાબતો, કાળજી, સાર-સંભાળને લગતી બાબતો અને હૃદય રોગ બાબતે સમાજમાં પ્રવર્તતી ગેરમાન્યતાઓ અંગે સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. યુ.એન.મેહતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટરના નિયામક, હેડ અને પ્રાધ્યાપક સીવીટીએસના ડૉ.ચિરાગ દોશી, મેરેન્ગો સીમ્સ હોસ્પિટલના કન્સલ્ટન્ટ સિનિયર ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. મિલન ચગ, ઝાયડસ હોસ્પિટલના કન્સલ્ટન્ટ સિનિયર ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. ભાવેશ રોય, સ્ટર્લિંગ હોસ્પિટલના કન્સલ્ટન્ટ સિનિયર ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. રસેશ પોથીવાલા દ્વારા મીડિયાના માધ્યમથી રાજ્યના નાગરિકોને વર્તમાન સમયમાં હ્રદયરોગ સંબંધિત સમસ્યાઓ, હાર્ટ અટેક અને કાર્ડિયાક અટેક સંલગ્ન માહિતી અને યુવાનોના મૃત્યુ અને તે માટે હૃદયરોગ જવાબદાર હોવાની ગેરમાન્યતા અંગે વીગતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. આ તકે આરોગ્ય વિભાગના એડિશનલ ડાયરેક્ટર મેડિકલ એજ્યુકેશન ડૉ. આર.કે. દીક્ષિતે પણ મીડિયાના માધ્યમથી આ સંદર્ભે રાજ્યસરકાર દ્વારા કરવામાં આવી રહેલી પ્રો-એક્ટિવ કામગીરી, NCD રોગ, રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતા સ્ક્રીનીંગ અંગે લોકોને માહિતગાર કર્યા હતા. પ્રવર્તમાન સમયે ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં બિનચેપી રોગો અને હ્રદયરોગ સંબંધિત કેસની સંખ્યા વધી હોવાનું તેમણે ઉમેર્યુ હતુ. હોસ્પિટલમાં કોરોના પહેલા વર્ષ 2018-19 માં કુલ હૃદયરોગના દર્દીઓમાં હાર્ટ એટેકના દર્દીઓની સંખ્યા ૮ થી ૧૧ ટકા જેટલી હતી, જે કોરોના બાદના વર્ષ 2023 સુધીના આંકડામાં પ્રમાણે સરેરાશ ૧૨% જેટલી જોવા મળી છે. મેરેન્ગો સીમ્સ હોસ્પિટલના કોરોનાકાળ પહેલાના હાર્ટ એટેકના અથવા હૃદય રોગના દર્દીઓની ટકાવારી 9.6% થી જે કોરોના બાદ પણ 9.7 ટકા જેટલી જ જોવા મળી હતી. એ જ રીતે સ્ટર્લીંગ હોસ્પિટલમાં પણ કોરોના પહેલા હૃદય રોગના દર્દીઓની સંખ્યા 11 ટકા જેટલી હતી જે કોરોના બાદ પણ 11.2% જેટલી જ જોવા મળી હતી. આ ઉપરાંત ઝાયડસ હોસ્પિટલમાં પણ ઉંમર આધારિત વર્ગીકરણના હૃદય રોગના દર્દીઓના આંકડામાં કોરોના કાળ પહેલા અને કોરોના કાળ બાદ કોઈ જ નોંધપાત્ર વધારો જોવા મળેલો નથી. નિષ્ણાંત કાર્ડિયોલોજીસ્ટના મતે આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે, કોવીડ પહેલા અને કોવિડ બાદ હૃદયરોગના દર્દીઓની સંખ્યામાં કોઈ જ નોંધપાત્ર વધારો થયો નથી. જે સાબિતી આપે છે કે કોરોના વાયરસનો ચેપ કે કોરોનાનો રસી હૃદયરોગના હુમલા માટે જવાબદાર નથી : અમિતસિંહ ચૌહાણ/ મિનેશ પટેલ/ગોપાલ મહેતા

શું કહે છે ડેટા ટ્રેન્ડ ?

યુ.એન. મહેતા હોસ્પિટલ અને આપણા રાજ્યમાં દેખાતા ડેટા ટ્રેન્ડ મુજ્બ કોવિડના ૨ વર્ષ પહેલા અને કોવિડ પછીના ૩ વર્ષનો ડેટા જોઇએ તો કોવિડ પહેલા યંગ કાર્ડિયાક એમ.આઇ.(માયોકાર્ડિયાક ઇન્ફાર્કસન) ૪૦ વર્ષ અથવા એની નીચેના વયની વ્યક્તિમાં ૮ થી ૧૧% લોકોમાં જોવા મળતુ હતું. કોવિડ પછીના ૩ વર્ષના ડેટા જોઈએ તો ૯ % થી ૧૨ % સુધીમાં જોવા મળેલ છે. કોવિડ પછી જે યંગ પેશન્ટની સડન ડેથ થઈ હોઈ, જેને માનવામાં આવે છે કે કાર્ડિયાક ડેથ થઇ હશે, તો એમાંથી ૫.૫% થી ૯.૫% લોકો કોવિડ પોઝીટીવ હોવાની હિસ્ટ્રી છે અને તેમાંથી માત્ર ૧.૨% થી ૫.૫% દર્દીને severe covid થયો હોય અને હોસ્પિટલમાં એડમીટ થયા હોય અને ઓકસીજન આપવો પડ્યો એવા માત્ર ૦.૫% થી ૩.૫ % દર્દીઓ જ હતા. આ ડેટા વર્ષ ૨૦૨૦ કોવિડની શરુઆત સુધીથી સપ્ટેમ્બર ૨૦૨૩ મહિના સુધીના ડેટાનું વિસ્તૃત વિગત છે. તારણ આ ડેટા પરથી એટલું જાણી શકાય કે જે દર્દીઓમાં સીરીયસ કોવિડ ઇન્ફેકેશન થયેલું એમને શરુઆતના વર્ષોમાં થોડુ રીસ્ક વધારે રહ્યું , જે સમય જતા ઓછું થયું છે.

સડન કાર્ડિયાક એરેસ્ટ એટલે શું ?

એવી સ્થિતિ જેમાં ત્વરીત હાર્ટનું કામ કોઈ કારણસર બંધ થઇ જાય છે.

સડન કાર્ડિયાક ડેથ એટલે શું ?

એવી પરિસ્થિતિ જેમાં હ્રદયને લગતી બિમારીથી સડન ડેથ થયું હોય. જે યંગ પેશન્ટમાં આપણે સડન ડેથ જોઈએ છીએ એમાં પર% લોકોમાં સડન કાર્ડિયાક ડેથ હોય છે. બાકીના લોકોમાં એ બીજા કારણોથી સડન ડેથ થતી હોય છે. સડન કાર્ડિયાક ડેથના કારણો ૮૦% કેસમાં સડન કાર્ડીયાક ડેથ કોરોનરી આર્ટરી (ધમની) બ્લોકેજથી થાય છે. ૨૦% કેસમાં સડન કાર્ડીયાક ડેથ કાર્ડીયોમાયોપથી અથવા હાર્ટના રીધમના ઇસ્યુ જેવી જન્મથી હ્રદયની બિમારીના કારણે જોવા મળે છે.

હાર્ટ એટેક / હૃદયનો હુમલો એટલે શું ?

કોઇ કારણોસર હ્રદયને મળતા લોહી તથા ઓક્સીજન હ્રદયની જરુરીયાત પ્રમાણે ના મળે અને હ્રદયમાં એનાથી જે નુકસાન થાય એને આપણે હ્રદયનો હુમલો કહેતા હોઇએ છે. આવા કિસ્સાઓમાં હ્રદયની નળીમાં Complete અથવા partial બ્લોકેજ હોઈ શકે છે. હાર્ટ એટેક / હૃદયના હુમલાના લક્ષણો સાંકેતિક લક્ષણો – છાતી ભારે લાગવી, – પરસેવો વળી જવો, – ધબકારા વધી જવા અથવા ધબકારા સંભાળાવવા, – શ્વાસ લેવામાં તક્લીફ થવી, – ચક્કર આવવા અથવા આંખે અંધારા આવી જવા, – અશકિત લાગવી વગેરે અન્ય લક્ષણો – એસીડીટી જેવુ લાગવુ, – પીઠદર્દ થવુ, – જડબામાં દુ:ખવું, – હાથ ભારે લાગવા. હાર્ટ એટેક / હૃદયના હુમલાની સારવાર/ઈલાજ ઉપર્યુક્ત કોઇપણ લક્ષણો જણાય ત્યારે તુરંત નજીકની હોસ્પિટલમાં બતાવવું જોઈએ અને સમયસર તેનો ઇલાજ કરાવો જોઈએ. જેથી સડન ડેથ અથવા હૃદય હુમલાને લગતી લાંબાગાળાની તકલીફથી બચી શકાય. – દવાથી અથવા સ્ટેન્ટ અથવા બાયપાસથી હાર્ટ એટેક / હૃદયના હુમલાનો ઇલાજ કરવામાં આવે છે હાર્ટ એટેક / હૃદયનો હુમલો ના આવે તે માટેની પ્રાથમિક કાળજી – સ્ટ્રેસમુક્ત લાઈફસટાઇલ, – નિયમિત આહાર, – પુરતી ઊંધ / આરામ, – સારો સાત્વીક ખોરાક, – તાજા, લીલા શાકભાજી તથા ફળ યુક્ત ખોરાક વધારે લેવા જોઈએ, – વધુ પડતા ધી અથવા તેલમાં બનેલી ચીજવસ્તુ, જંકફુડ લેવાનું ટાળવું, – નિયમીત ચાલવું અને વ્યાયામ કરવો, – તમાકુ અથવા વ્યસન મુક્ત રહેવું – ૪૦ વર્ષથી ઉંમર પછી નિયમિત બોડી ચેકઅપ કરાવવું

Related posts

Leave a Comment